શ્રી ખોડિયાર માતાજી મંદિર – સિંધરોટ દ્વારા માઁ મહિસાગર ના કાંઠે – સિંધરોટ(વડોદરા) આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ
શ્રી ખોડિયાર માતાજી મંદિર – સિંધરોટ ( ભુવાજી શ્રી ખોડાભાઇ ધુળાભાઇ રબારી) દ્વારા પુણ્ય પાવનકારી માઁ મહિસાગર ના કાંઠે – સિંધરોટ(વડોદરા) આયોજિત //શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ//
પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી વડવાળા દેવ પરમ જગદંબા મહામાયા માઁ શ્રી ખોડિયાર ,માઁ શ્રી શક્તિ , માઁ શ્રી છેમોદ તથા શ્રી માનસિંગદાદા મહારાજ ની અસીમ કૃપાથી પુણ્ય પાવનકારી માઁ મહિસાગર ના કાંઠે – સિંધરોટ(વડોદરા) પતિત પાવની ભાગવત કથા નું ભવ્ય આયોજન કરેલ છે. આ મહોત્સવ પ્રસંગે કથા શ્રાવણ અને ભક્તિનો લાહવો લેવા આપને સહ કુટુંબને યત્ન પૂર્વક પધારવા અમારું આપને હૃદયપૂર્વક નિમંત્રણ છે.
આઇ શ્રી ખોડિયાર માતાજીનો ૫૧ કુંડી નવચંડી યજ્ઞ તથા શ્રી માતાજી ના સાનિધ્યમાં સાપ્તાહિક નવચંડી યજ્ઞ તથા ૩૩ જ્યોત પાઠ તથા શ્રી ખોડિયાર માતાજી વાડી નું ઉદઘાટન તથા માતાજી નો લીલુડો માંડવો તથા કુટુંબની દિકરીઓના સમુહ વિવાહ તથા આણાં, જીયાણાં તથા સાપ્તાહિક સંતવાણી નો કાર્યક્રમ.
- ૦૬-૧૨-૨૦૧૧ રાત્રે ૯:૦૦ કલાકે – રણછોડરાય ભજન મંડળ – છાણી , વડોદરા
- ૦૭-૧૨-૨૦૧૧ રાત્રે ૯:૦૦ કલાકે – માસ્ટર રાણા - ડાયરો -છાણી , વડોદરા
- ૦૮-૧૨-૨૦૧૧ રાત્રે ૯:૦૦ કલાકે - શ્રી હેમંત ચૉહાણ - ડાયરો
- ૧૦-૧૨-૨૦૧૧ રાત્રે ૯:૦૦ કલાકે - ભવ્ય સંતવાણી શ્રી ખીમજીભાઇ ભરવાડ
- ૧૧-૧૨-૨૦૧૧ બપોરે ૧:૦૦ કલાકે - સંતો-મહંતોનુ સામેયુ
- બપોરે ૨:૩૦ કલાકે – ધર્મસભા
- રાત્રે ૯:૦૦ કલાકે - માઁ શ્રી ખોડિયાર ,માઁ શ્રી શક્તિ , માઁ શ્રી છેમોદ માતાજી નો લીલુડો માંડવો
- રાત્રે ૧૦:૦૦ કલાકે – ભુવાજી શ્રીઓ નુ સ્વાગત
- ૧૨-૧૨-૨૦૧૧ બપોરે ૧:૦૦ કલાકે - શ્રીમદ ભાગવત કથા પુર્ણાહુતિ
- સાંજે ૪:૦૦ કલાકે - માતાજીનો ૫૧ કુંડી નવચંડી મહાયજ્ઞ પુર્ણાહુતિ ૨૦૬૮
- રાત્રે ૧૦:૦૦ કલાકે - સમુહ વિવાહ
સવંત ૨૦૬૮ માગશર સુદ ૧૧ મંગળવાર તા.૬-૧૨-૨૦૧૧ સવારે ૯-૦૦ કલાકે મંગલ દીપ પ્રાગટ્ય : સવારે ૧૦-૦૦ કલાકે નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂષિત શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી કનીરામદાસજી મહારાજ – દુધરેજ , મહંત શ્રી ૧૦૮ સરસ્વતી દાસજીબાપુ-રામજી મંદિર – ડાકોર , મહંત શ્રી ૧૦૮ દેવીદાસજીબાપુ-રામજી મંદિર – ચાણોદ, મહંત શ્રી ૧૦૮ ઘનશ્યામદાસ બાપુ- મહિસાગર માતાજી મંદિર – ફાજલપુર , ભુવાજી શ્રી ખોડાભાઇ ધુળાભાઇ રબારી - શ્રી ખોડિયાર માતાજી મંદિર – સિંધરોટ
કથા વિરામ :
સવંત ૨૦૬૮ માગશર વદ ને સોમવારે તા.૧૨-૧૨-૨૦૧૧ ને બપોરે બપોરે ૧:૦૦ કલાકે કથા પૂર્ણાહુતી.
કથા સમય :
સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦.
કથા ના આચાર્ય :
શ્રી રમેશભાઇ શાસ્ત્રીજી
શ્રી ખોડિયાર પરીવાર તથા ભુવાજી શ્રી ખોડાભાઇ ધુળાભાઇ રબારી તથા સમસ્ત રબારી પરીવાર -સિંધરોટ
કથા સ્થળ :
શ્રી ખોડિયાર માતાજી મંદિર – સિંધરોટ, તા.જી -વડોદરા-૩૯૧૩૩૦ – ગુજરાત
ભુવાજી શ્રી ખોડાભાઇ ધુળાભાઇ રબારી
મો.ન. ૯૮૭૯૪૬૨૬૬૮






